Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

જેતપુરમાં એકતા યાત્રાનું સ્વાગતઃ સાંજે જયેશભાઇ રાદડિયાના હસ્તે સમાપન

જેતપુર તા.૧૬: અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી દેશને એક બનાવેલ જેના ભાગરૂપે દેશમાં એકતા, અખંડિતતા, ભાઇચારો જળવાઇ રહે. તે હેતુ નિકળેલ ''એકતા યાત્રા'' આજરોજ સવારે ૮.૩૦ કલાકે નવાગઢ ચોકડી ખાતે આવેલ જયાં તેનું અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ ત્યાંથી આ યાત્રા નવાગઢના વિસ્તારો, નાજાવાળાપરા ચોકડી,તીનબતી ચોક, એન્ડ ચોક, બોખલા દરવાજા, ટ્રાફીકપરા, અમરનગર રોડ, શિવમપાર્કથી સરદાર ચોક જશે ત્યાં સાંજે ૫ કલાકે તેનું સ્વાગત કરાશે ત્યાંથી દેસાઇ વાડી ખાતે આવેલ સરદાર ગાર્ડનમાં કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે એકતાયાત્રાનું સમાપન કરાશે.

આ યાત્રામાં પ્રમુખ કુસુમબેન સખરેલીયા, ચીફ ઓફિસર, સી.બી. રબારી, ઉપપ્રમુખ અનીલભાઇ કાછડીયા, રાજુભાઇ ઉસદડીયા, ગોપાલભાઇ ડોબરીયા, ડી.કે. બલધાણીયા, મહેશભાઇ ડોબરીયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

(1:47 pm IST)