Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

કોડીનાર શિંગોડા નદીમાંથી લાશ મળી

કોડીનાર તા. ૧૬ :.. મામલતદાર ઓફીસ નજીક સુરજકુંડ વિસ્તારમાં શિંગોડા નદીમાં મૃતદેહ તરી રહ્યો હોવાની જાણ થતા પીએસઆઇ કે. એન. પરમાર, ટાઉન જમાદાર કાળુભાઇ ગઢવી, રાઇટર પ્રદીપભાઇ ગોહીલ સહિતનો સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને નદીમાંથી બહાર કાઢી સરકારી દવાખાને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરતાં મૃતકનું નામ પરેશભાઇ વજુભાઇ મેર ઉ.રપ રહે. હાડીવાસ કોડીનારનો હોવાનું અને પરેશભાઇ બે દિવસ પહેલા સરકારી દવાખાને સારવાર લીધા પછી ગુમ થતા ગઇકાલે તેના પરીવારજનોએ પોલીસમાં ગુમ થયાની નોંધ દાખલ કરાવી હતી.

પ્રાથમિક તપાસમાં કોઇ અગમ્ય કારણોસર પરેશભાઇનું નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયુ છે. મોતનું સાચુ કારણ પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.

(12:14 pm IST)