Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ઉના-ગીરગઢડા વણકર સમાજનું સ્નેહમિલન

ઉના-ગીરગઢડા તાલુકા વણકર સમાજનો નવા વરસનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. ડો. બાબા સાહેબ આંબેડકરજીનાં ફોટાને ફુલહાર ત્થા દિપ પ્રગટાવી સમાજના આગેવાન ગોવિંદભાઇ સરવૈયા, હરસુરભાઇ બાબરીયા, માધુભાઇ વાંજા, ડો. નારણભાઇ જાદવ, કાનજીભાઇ સાંખટ, ભીમદાસભાઇ વાળા, ત્રિકમભાઇ સરવૈયા, બાબુભાઇ બાંભણીયા, ગંગારામભાઇ વાળા, બાબુભાઇ સોસા, શામજીભાઇ સાંખટ, વિગેરેએ પ્રારંભ કરાવ્યો હતો નવા વરસની શુભેચ્છાઓ આપી સમાજના સમુહ લગ્ન યોજવા નકકી કરાયું હતું તેમજ ઉના-આમોદ્રા રોડ ઉપર વણકર સમાજની વાડીમાં બાંધકામ કરી ઉપયોગી થવા હાકલ કરી હતી. સમાજમાંથી કુરિવાજો દુર કરી શિક્ષિત બની સંગઠીત બનવા જણાવેલ હતું અને સમાજનાં વિકાસના કામો કરવા જણાવેલ હતું. એક બીજાઓને શુભેચ્છાઓ આપી હતી. સ્નેહ મિલનમાં ઉપસ્થિત જ્ઞાતિ અગ્રણીઓની તસ્વીર.

(12:09 pm IST)