Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ભુણાવાથી રાજકોટ જિલ્લા 'એકતા રથયાત્રા'ના બીજા તબકકોનો પ્રારંભ

ગોંડલ, તા.૧૬: વિશ્વનું સૌથી ઉંચું ''સ્ટેચ્યુ ઓફ યુનિટી'' ના રાષ્ટ્રને લોકાર્પણ અન્વયે સરદાર પટેલના એકતા અને અખંડીતતાના વિચારોને લોકો સુધી પહોંચાડવાના ઉદેશથી રાજયભરમાં શરૂ કરાયેલ એકતા રથયાત્રાના બીજા તબક્કાનો  કરાયેલ પ્રારંભ અંતર્ગત ગોંડલ તાલુકાના ભુણાવા ગામેથી  એકતા રથયાત્રાને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન રાજયના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાના હસ્તે કરાવાયો હતો.

 જયેશભાઇ રાદડીયા તથા અન્ય મહાનુભાવોના હસ્તે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર વડે આદરાંજલી અર્પણ કરાઇ હતી. કાર્યક્રમના અંતે એકતા રથયાત્રાને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન જયેશભાઇ રાદડીયાના હસ્તે કરાવાયો હતો.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવાણા, ડે.કલેકટર રાયજાદા, મામલતદાર ચુડાસમા, તાલુકા વિકાસ અધિકારી લખતરીયા, પ્રફુલભાઇ ટોળીયા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:07 pm IST)