Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામેથી એકતા યાત્રાના બીજા તબકકાનો પ્રારંભઃ

દેશની એકતા અખંડીતતાના ધડવૈયા એવા સરદાર વલ્લભભાઇ પટેલને શ્રધ્ધાંજલિ આપવા એકતા યાત્રાનું બે તબકકામાં આયોજન કરવામાં આવેલ છે. જેમાનો પ્રથમ તબકકો પૂર્ણ થયા બાદ બીજા તબકકાની યાત્રાનો પ્રારંભ લખતર તાલુકાના નાના અંકેવાળીયા ખાતેથી આજરોજ સાસંદશ્રી દેવજીભાઇ ફતેપરા તથા પૂર્વમંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ કરાવ્યો હતો. અને આ યાત્રા પાંચ દિવસ સુધી નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરશે. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી વર્ષાબેન દોશી, અગ્રણીશ્રી દિલિપભાઇ પટેલ, અનિરુધ્ધસિંહ પઢિયાર, પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોઙ્ગ ઉપસ્થિત રહયાં હતા. તે પ્રસંગની તસ્વીર.(૨૨.૩)

(11:17 am IST)