Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

દ્વારકા જલારામ મંદિરે જલારામ જયંતિની અન્નકુટ દર્શન સાથે ઉજવણી

દ્વારાકા તા. ૧૬: દ્વારકા ખાતે જલારામ સેવા સમિતિ આયોજિત સૌરાષ્ટ્રના સંતશિરોમણી પૂ.જલારામ બાપાની ૨૧૯મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.

દ્વારકાના જલારામ મંદિરે ૯.૦૦ વાગ્યે પૂજા અભિષેક અર્ચન બાદ સવારે ૧૦:૦૦ વાગ્યે ધ્વજાજીનું પૂજન કરી ધ્વજાઆરોહણ કરવામા આવ્યુ હતું. સાંજે ૪-૦૦ વાગ્યે જલારામ મંદિરે મહાઆરતી યોજાઇ હતી. સાંજે પ.૦૦ કલાકે શોભાયત્રા તેમજ અન્નકુટ દર્શનનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

પૂ.જલારામ બાપાની શોભાયાત્રા સાંજે ૫.૦૦ કલાકે જલારામ મંદિરેથી નિકળી દ્વારકાના રાજમાર્ગો પર ફરી લોહાણા મહાજનવાડી ખાતે સંપન્ન થઇ હતી.

સાંજે ૭.૦૦ વાગ્યાથી મહાપ્રસાદનુ આયોજન સ્થાનીય વિસ્તારના સૌરઘુવંશી ભાઇ-બહેનો માટે કરવામા આવ્યુ હતું. દ્વારકાના તમામ રઘુવંશી ભાઇ-બહેનોને તમામ ધાર્મિક પ્રસંગનો તેમજ મહાપ્રસાદીનો લાભ લીશો હતો.

(11:07 am IST)