Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

મોરબીમાં સુન્ની મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં ગંદા પાણી

મોરબીઃ સુન્ની મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં ગંદા પાણી ભરાતા હોવાથી મુસ્લિમ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ મામલે સંસ્થા દ્વારા નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરાઈ છે મોરબીના જેન્યુન ફાઉન્ડેશન દ્વારા નગરપાલિકા તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી સુન્ની મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં મર્હુમોની કબરમાં ગંદા પાણી ઉતરવા લાગી રહ્યા છે જેથી સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફરી વળી છે અગાઉ પણ મોખિક તથા લેખિત રજૂઆત કરી છે છતાં તંત્રએ કોઈ ધ્યાન ના આપતા સમસ્યા વધુ વકરી છે આ અંગે તત્કાલ ગંદા પાણીને કબ્રસ્તાન પાસેથી રોકવામાં નહિ આવે તો નાછૂટકે ગાંધીચિંધ્યા માર્ગે લડત આપશું અને મૂળભૂત હક્ક હિત માટે ઉચ્ચ કક્ષાએ કાર્યવાહી કરવામાં પણ પાછીપાની નહિ કરાય તેમ જણાવીને તાત્કાલિક ધાર્મિક કબ્રસ્તાન પાસેની ગંદા પાણી અટકાવવા યોગ્ય કરવાની માંગ કરી છે.

(1:10 pm IST)