Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

લાઠી વિજય હનુમાનજી મંદિરે શરદપુર્ણિમા

લાઠી : અમરેલી રોડ ઉપર સુપ્રસિધ્ધ અને શહેરનું આસ્થાનુ પ્રતિક એવા વિજય હનુમાનજી મંદિરે શરદપુર્ણિમાની રઢીયાળી રાતે મંદિરની સેવા કરતા વયોવૃધ્ધ શાંતાબેન ઘનાભાઇ દેસાઇ (પટેલ) તરફથી રાસોત્સવનું આયોજન કરેલ જેમાં બાળકો, બહેનો અને વૃધ્ધો સહિત ગરબામાં રમઝટ બોલાવી આનંદ માણ્યો હતો. મંદિરના મહંત રામચરણદાસજી પણ સેવકોના કાર્યક્રમમાં ખડેપગે રહી સેવકોના અંતઃકરણ પુર્વક આશીર્વાદ આપ્યા હતા. મોડી રાત્રે ખેલૈયાઓને જલેબી ફાફડાના નાસ્તાની લહાણી કરાઇ હતી. રાસોત્સવ યોજાયો તે તસ્વીર.

(1:08 pm IST)