Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

જામનગરની સરકારી કચેરીઓમાં કચરાના ઢગલા

જામનગર માહિતી, રોજગાર, જીએસટી સહિતની અનેક કચેરીઓ લાલ બંગલા સરકીટ હાઉસની સામેના ભાગમાં આવેલી છે. આ તમામ કચેરીઓમાં રિનોવેશન અને ભાંગતોડ થતી જ રહેતી હોય છે.... સરકારી ઇમારતોમાં આ કામગીરી પી.ડબલ્યુ.ડી. વિભાગ દ્વારા જ કરવામાં આવતી હોય તે સ્વાભાવિક છે. સરકારી ખાતા દ્વારા થતી આ કામગીરીનું કેરણ પણ આ તમામ કચેરીઓના પાર્કીંગમાં લાંબા સમયથી પડયું છે... અને કચેરીએ આવતા જતા તેમજ નોકરી કરતા કર્મચારીઓના વાહનો પાર્ક કરવા મુશ્કેલ બની રહયા છે. ત્યારે ખુદ સરકારી કચેરીઓના પટાંગણમાં પડેલું આ કેરણ જે તે કોન્ટ્રાકટર દ્વારા જ ઠલવાયેલું હોય તેને તેનો નિકાલ ન કરતા હાલ આ કેરણ તમામ માટે નડતરૂપ બની રહયું છે. તેનો તાત્કાલિક નિકાલ થાય અને પાર્કીંગ ખુલ્લું થાય તેવી માંગણી ઉઠી છે. (તસ્વીર : વિશ્વાસ ઠક્કર)

(1:01 pm IST)