Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સોમનાથ પંથકમાં મગફળી ઉપાડવાની કામગીરી

પ્રભાસ પાટણઃ સોમનાથનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસવાનું બંધ થતા અને ખેતરોમાં પાણી સુકાતાની સાથે આ વિસ્તારમાં મગફળી કાઢવાની કામગીરી પૂરજોશમાં શરૂ થયેલ છે. અમુક ખેતરોમાં મગફળીનાં પાથરા પડેલા છે તો અમુક ખેતરોમાં થ્રેસરમાં મગફળી કાઢવામાં આવી રહેલ છે. ખેડુતો અને મજુરો તમામ ખેતીનાં કામે લાગી ગયેલ છે. તસ્વીરમાં નાવદ્રા ગામમાં થ્રેસરમાં મગફળી કાઢતા ખેડુતો નજરે પડે છે. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(11:48 am IST)