Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

શિહોરમાં ૫ કિલો ગાંજા સાથે ઝારખંડનો નવિન રાજપૂત ઝડપાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૬ : ભાવનગરની પોલીસે ઝારખંડથી ગાંજા ડિલિવરી આપવા આવેલા એક શખસને ઝડપી લીધો છે.

ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ની રાહબરી નીચે ભાવનગર એસ.ઓ.જી. પોલીસને બાતમી હકિકત મળેલ હતી કે, નવિનકુમારસિંહ નામનો ઝારખંડ રાજયનો રહીશ ગાંજાનો જથ્થો લઇને શિહોર ખાતે ડિલેવરી દેવા માટે આવેલ છે. જે બાતમી આધારે ઓપરેશન ગોઠવી આરોપી નવિનકુમારસિંહ S/O બાલેશ્વરસિંહ સુર્યવંશી રાજપુત ઉ.વ.૩૪ રહેવાસી ગાવ-બરહી, મહોલ્લા-બરહીડીહ, થાના બરહી, જીલ્લા હજારીબાગ રાજય ઝારખંડવાળાને શિહોર, શિહોર-ભાવનગર રોડ, શેલ પેટ્રોલપંપ સામે ભાથીજી મહારાજના મંદિર પાસેથી નાર્કોટીકસ પદાર્થ ગાંજો વજન ૫ કિલો ૧૧૦ ગ્રામ કિમત રૂપિયા ૫૧,૧૦૦/- તથા મોબાઇલ ફોન-૧, રોકડા રૂપિયા ૨,૨૦૦/- વિગેરે સહિત કુલ રૂપિયા ૫૬,૪૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ હતો કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય એ છે કે, પકડાયેલ આરોપી નવિનકુમારસિંહને સને ૨૦૧૨ માં ભાવનગર એસ.ઓ.જી. શાખાએ ૧૧ કિલો ૭૦૦ ગ્રામ ગાંજા સાથે ફુલસર ખાતેથી ઝડપી પાડેલ હતો. જે કેસમાં તે સને ૨૦૧૩ માં જેલમાંથી છુટેલ હતો. આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન એફ.એસ.એલ. ભાવનગરના સાયન્ટીફિક ઓફિસર આર.સી.પંડયા સાહેબે સ્થળ તપાસણી કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતુ.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા ની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. જગદીશભાઇ મારૂ તથા હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા તથા વિજયસિંહ ગોહિલ તથા મહાવિરસિંહ ગોહિલ તથા ઓમદેવસિંહ ગોહિલ તથા પ્રદિપસિંહ ગોહિલ તથા હરેશભાઇ ઉલવા તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ગોહિલ તથા સોહિલભાઇ ચોકીયા તથા દિલીપભાઇ ખાચર તથા રાદ્યવેન્દ્રસિંહ ગોહિલ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. ભોજુભાઇ ભલાભાઇ તથા પરેશભાઇ પટેલ જોડાયા હતા.

(11:50 am IST)