Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

પાકિસ્તાન દ્વારા આઠ બોટ સાથે સૌરાષ્ટ્રના પોરબંદર અને વેરાવળના ૪૮ માછીમારોનું અપહરણ

પોરબંદર::::પાકિસ્તાન દ્વારા આઠ બોટ  સાથે સૌરાષ્ટ્રના પોરબંદર અને વેરાવળના ૪૮ માછીમારોનું અપહરણ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

         કોરોના મહામારી વચ્ચે માછીમારો માછીમારી કરી ને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આજે પાકિસ્તાન મરીન સિકયુરિટી એજન્સી દ્વારા સૌરાષ્ટ્રની ૮ બોટ સાથે ૪૮ માછીમારો અપહરણ કરીને પાકિસ્તાનના કરાચીમાં લઈ જવામાં આવતા પરિવારજનોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

           પાકિસ્તાન મરીન સિક્યુરિટી એ જે બોટના અપહરણ કર્યા છે તેમાં સાત બોટ પોરબંદરની અને એક બોટ વેરાવળની હોવાનું જાણવા મળ્યું છે.

     પાકિસ્તાન દ્વારા વારંવાર ભારતીય જળસીમામાં ધુસીને માછીમારોના અપહરણ કરવામાં આવે છે જેની સામે  માછીમારો અને પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો છે

(1:26 pm IST)