Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ધોરાજી : સાધ્વી નિર્મલાજીની પ્રધાનમંત્રી જનકલ્યાણ યોજના રાષ્ટ્રીયમંત્રી પદે વરણી

ધોરાજી તા.૧૬ : પ્રણામી મંદિર ના સાધ્વી નિર્મળા દેવી ની પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના પ્રચાર-પ્રસાર અભિયાન ના રાષ્ટ્રીય મંત્રી અને ત્રણ રાજયના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે જેને ધોરાજીની જનતાએ આવકારે છે

તાજેતરમાં દિલ્હી ખાતે પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના અંતર્ગત આધુનિક ભારત કે નિર્માતા નરેન્દ્ર મોદી યુવા સેમિનાર યોજાયો હતો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રધાનમંત્રી જનકલ્યાણકારી યોજના પ્રચાર પ્રસાર અભિયાન ના મુખ્ય સંરક્ષક શ્રી શ્યામ જાજુ એ રાષ્ટ્રીય કાર્યકારિણીના જવાબદાર અગ્રણીઓ રદ્યુનંદન શર્માજી ડો પી.પી વત્સ બ્રાન્ડ એમ્બેસેડર હેમામાલીની જી વિગેરે સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ ધોરાજીના પ્રણામી મંદિર ના સાધ્વી નિર્મલા દેવી જી ને પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના પ્રસાદ પ્રચાર અભિયાન ના રાષ્ટ્રીય મંત્રી તરીકે ઘોષિત કર્યા હતા.

અને ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ ના પ્રભારી તરીકે સાધ્વી નિર્મલાદેવીને ત્રણ રાજયો અને વિશિષ્ટ જવાબદારી સોંપવામાં આવી હતી.

દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય આધુનિક ભારત કે નિર્માતા નરેન્દ્ર મોદી યુવા સેમિનારમાં રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ બંસલ મુખ્ય સંરક્ષક શ્યામ જાજુ સહિતના રાષ્ટ્રીય અગ્રણીઓ બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પાઠવ્યું હતું અને સાધ્વી નિર્મલા જી સાલ ઓઢાડી સન્માન કરેલ હતું.

(1:45 pm IST)