Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

મારે કોઇની પાસે ક્ષમા નથી મંગાવવી, ભીખમાં મળે તેને ક્ષમા ન કહેવાયઃ પૂ. મોરારીબાપુ

જામનગરમાં આયોજીત ''માનસ ક્ષમા'' શ્રીરામકથાનો વિરામઃ રામેશ્વર ભગવાનના સેતુબંધના પ્રસંગે મોબાઇલની લાઇટો વડે આરતી

જામનગર તા. ૧૬ : ''મારે કોઇની પાસે ક્ષમા નથી મંગાવવી, ભીખમા મળે તેને ક્ષમા ન કહેવાય'' તેમ પૂ. મોરારીબાપુએ જામનગર ખાતે યોજાયેલ ''માનસ ક્ષમા''શ્રરામ કથાના વિરામના દિવસે કહ્યું હતું.

પૂ. મોરારીબાપુએ કહ્યુંં કે માફી માંગવી હોય તો સનાતન વૈદિક, પવિત્ર અને પરમ પરંપરાની ક્ષમા માંગો, હું કોના બળ પર બોલું છું, મારા માથા પર પાદુકા છ.ે મારા હાથમાં પોથી છે અને મારા પગમાં નિતાંત શરણાગતિ છ.ે કોઇ એ વચ્ચે રહેવાની શું જરૂર છે, કજીયો મેં કર્યો છે ? કોઇ ડાહ્યા થતાં નહીં, હું તો દ્રષ્ટા બનીને કિનારે બેઠો છું. મારી પાસે વિવાદ નહી, હું સંવાદનો માણસ છું આવજો તલગાજરડા, હું, એક બાવો તમને વચન આપે છે, તમને કોઇએ સત્કાર ન કર્યોહોય, એના કરતાં અનેક ગણો સત્કાર, આદર, પ્રેમ તમારો મોરારીબાપુ કરશે, સ્વીકાર કરશે તેમ પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું.

વિવાદ મારો સ્વભાવ નથી. આપણે તો પ્રેમનો, સંવાદનો યજ્ઞ પ્રગટાવ્યો છ.ે તમેય આવો, મનેય બોલાવજો પણ મારા અંતઃકરણનીપ્રવૃતિ મારી સાધુની પ્રવૃતિ હા પાડશે તો આવીશ નહીંતર નહી આવુ મારીવૈદિક પરંપરા અક્ષુણ્ય હોય તો વાત જુદી છ.ે હું તો કથા અનુસંધાનમાં બોલું છું બાકી મારે કોઇ નિવેદન આપવાનું નથી, શું કામ આપું, શા માટે? તપસ્વીઓનું ધરેણું તપસ્વીની શોભા, તપસ્વીની રૂપ ક્ષમા છે. તેમ પૂ. મોરારીબાપુંએ કહ્યું હતું. જે બોલ્યા છેએને ક્ષમા માગવાની જરૂર નથી જે નથી બોલ્યા ને એને ક્ષમા માંગવાની જરૂર છ.ેહું કોના બળ પર બોલું છું, મારા માથા પર પાદુકા છે. મારા હાથમાં પોથી છે અને મારા પગમાં નિતાંત શરણાગતી છે.તેમ પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું.

જામનગરમાં છોટી કાશી ગણાતા જામનગરમાં નવદિવસ સુધી રામનામમાં શ્રદ્ઘાળુઓ તરબોળ થયા હતા. અને વરસાદના વિઘ્ન વચ્ચે પણ કથા પૂર્ણ થઇ હતી, કથાના અંતિમ દિવસે મોરારીબાપુએ રામાયણની વાત કરતા જણાવ્યું કે, કોઈ બુદ્ઘપુરુષ-મહાપુરુષથી આપણે જીવન તરી શકીએ. ભોજલરામબાપા અને અખા ભગતને યાદ કરી પક્ષીની બે જ્ઞાન અને વૈરાગ્યની પાંખ દ્વારા વૈરાગ્યમાં ઉડે છે. અખા ભગતના મતે પાંખોથી ઉડતા પંખીને ભજનની મહાપુરુષની ભકિત વગર કયાંક ભટકાશે તેવી માર્મિક વાત કરી હતી.

ઘરમાં બનેલ ભોજન ન ખાઈ તો એ ભોજનનું અપમાન છે.તેની જેમ આપણા મહાપુરુષોનો અનાદર કરવો એ અપમાન છે.તેવી વાત કરતા મોરારીબાપુએ ભોજન અને મહાપુરુષનો આદરભાવ રાખવા ટકોર કરી હતી.રાવણે હનુમાનજીને પશુ (વાનર) ગણ્યા એ વાતને લઈને તેને શિવનો અવતાર કહેવામાં આવ્યો તે વાતને મોરારીબાપુએ તાર્કિકરીતે લોકોને પદ સાથે સમજાવ્યું હતું. સુખ અને દુઃખ સાપેક્ષ છે. એક જ સિક્કાની બે બાજુ છે.તે વાત કરતા મોરારીબાપુએ જીવનમાં દુઃખ અને સુખ આવે તે વાતને રામાયણના પ્રસંગો સાથે વર્ણવી રામ, લક્ષમણ,જાનકીના ઉદાહરણ આપ્યા હતા. અને ભગવાન રામની અયોધ્યા વનવાસ જતી વેળાએ અયોધ્યાવાસીઓની વેદનાની વાત કરી કેવટનો પ્રસંગ કહ્યો હતો.

ચિત્રકૂટમાં પ્રસન્નતા છે. જયાં પ્રભુ રામ વનવાસ દરમ્યાન ૧૩ વર્ષ રહ્યા હતા.તે પ્રસંગે રામ અને ભરતના મિલન વખતે રામની ત્યાગવૃત્ત્િ।ની વાત કરતા મહાપુરુષ, સાધુ પુરુષની ત્યાગ કરવાની વાત મોરારીબાપુએ કહી હતી. સૂરજનો સ્વભાવ ઉગવો એ જ છે. બીજાને ઝાખા કરવા નથી સૂરજ ઉગતો તેમ કહી મોરારીબાપુએ લોકોને સુરજમાંથી પ્રેરણા લેવા માર્મિક ટકોર કરી હતી. અસ્તિત્વએ કૃપા બહુ કરી ત્રણ દિવસ વરસાદ હોવા છતાં કથામાં ખલેલ ન આવ્યો. જામનગરના મહાપુરૂષોની ધરતી છે. ત્યાં ખલેલ આવે જ નહીં.કથાના અંતે મોરારીબાપુએ રામેશ્વર ભગવાનના સેતુ બંધના પ્રસંગને લઈને લોકોને મોબાઇલની લાઈટો વડે કથામાં આરતી કરાવી હતી. મોરારીબાપુએ ચાણકય નિતીના ક્ષમા અંગેના કોકિલા નામ, સ્વરોરૂપમ, સ્ત્રીનામ રૂપમ,પતિવ્રતમ, વિદ્યારૂપમ, વિણાનામ શ્લોકનું ગાન કરાવ્યું હતું.અને ક્ષમા અંગે નિરૂપણ કરતા તેના પરિવારના નામો જણાવ્યા હતા.

(1:44 pm IST)