Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ગોંડલમાં સ્વચ્છ ભારત

 ગોંડલઃ નગરપાલિકાના આયોજીત સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ આરોગ્ય વિષયના પ્રચારક તથા લોક સાહિત્યકાર પ્રવીણદાન ગઠવીએ તેમની વિશિષ્ટ શૈલીમાં સંગીતમય રીતે મંજીરાવાદક જગદીશભાઈ હરિયાણી તથા તબલાવાદક કેદારભાઈ ના સથવારે બાળકોને અલગ જ અંદાજમાં સ્વચ્છતાની જાળવણી , પાણીથી થતા રોગો તથા તેના ઉપાયોની માહિતી આપી હતી.આ તકે ગોંડલ નગરપાલિકા સેનીટેશન ઇન્સ્પેકટર શ્રી કેતનભાઈ મકવાણા તથા શ્રી ધરમ ભાઈ બાવરિયા , શ્રી પ્રણવસિંહ ચુડાસમા બાળકોને સ્વચ્છતા અંગે એ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ ત્રિવેદીએ તમામનો આભાર વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષક શ્રી અંકિતભાઈ દ્વારા કરવામાં આવેલ હતું.સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ અંગેની માહિતી અપાઇ હતી.

(12:13 pm IST)