Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

આટકોટ સૌરાષ્ટ્ર પટેલ શૈક્ષણિક સંકુલમાં ગણેશ મહોત્સવને વિરામ

 આટકોટ : શ્રી સૌરાષ્ટ્ર પટેલ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી સૌરાષ્ટ્ર પટેલ વિદ્યામંદિર અને શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૧૨ તેમજ કોલેજમાં બીસીએ અને બીકોમના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ દ્વારા ગણેશમહોત્સવ કાર્યક્રમના વિરામ નિમિતે મુર્તિનું વિસર્જન કરવાનુ હોય ત્યારે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા આરતી કરી સમુહ રાસોત્સવ માટેનુ આયોજન કરવામાં આવેલ. સંસ્થાના ડીરેકટર ડો.કમલેશભાઇ હિરપરાએ વિસર્જન પાણીમાં પધરાવી કરવાને બદલે સંકુલમાં જ ભૂમિમાં વીલીન કરી તેના પર વૃક્ષારોપણ કરવામાં આવે તો હરહંમેશ ઓકિસજન સ્વરૂપે ગણેશ મહારાજના આર્શીવચન મળતા રહે તેવો વિચાર અમલમાં મુકયો હતો. સંચાલન અને વ્યવસ્થા સ્કુલ ડીવીઝનના પ્રિન્સીપાલ રાઠોડ શૈલેષસર, પંચોલી વર્ષામેડમ તેમજ કોલેજ પ્રિન્સીપાલ વેકરીયા, મયુરસર દ્વારા કરવામાં આવેલ. જેમાં સમગ્ર સ્ટાફગણ અને વિદ્યાર્થીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. સંસ્થાના ડીરેકટર ડો. કમલેશ હિરપરાએ તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓને આગામી વર્ષ સુખાકારી તેમજ પ્રગતિશીલ રહે તે માટે તમામને શુભેચ્છાઓ પાઠવેલ હતી.

(12:10 pm IST)