Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

નમામી દેવી નર્મદેઃ જીલ્લાનો કાર્યક્રમ જસદણના જીવાપર ગામેઃ કર્ણુકી ડેમ ઉપર આરતી થશે

મંત્રીશ્રી આર.સી. ફળદુના હસ્તે આરતી બાદ મેઘલાડૂનું વિતરણ-સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટ તા. ૧૬: નર્મદા ડેમ ઓવરફલો થવામાં છે, આવતીકાલે ગુજરાતભરમાં નમામી દેવી નર્મદે અંતર્ગત રાજય સરકારે કાર્યક્રમો યોજયા છે, કાલે વડાપ્રધાનનો જન્મ દિવસ છે, એમ બેવડી ખુશીને કારણે દરેક જીલ્લા કલેકટરો-મ્યુ. કમિશ્નરોને કાર્યક્રમો યોજવા સુચના અપાઇ છે.

રાજકોટ શહેરનો કાર્યક્રમ આજીડેમ ખાતે તો, જીલ્લાનો કાર્યક્રમ જસદણના જીવાપર ગામ નજીક આવેલા કર્ણુકી ડેમ ઉપર થશે, આ ડેમ નાની સિંચાઇનો ડેમ છે અને એ સંદર્ભે કાલે સવારે ૧૦ વાગ્યે રાજયના મંત્રીશ્રી આર. સી. ફળદુના હસ્તે નર્મદા નીરની આરતી થશે, ત્યારબાદ મેઘલાડૂનું વિતરણ કરાશે.

આ પછી સ્ટેજ પ્રોગ્રામ થશે, જેમાં નર્મદા ડેમ ઉપર આધારીત ફિલ્મ બતાવાશે, અને રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજવા અંગે તૈયારીઓ કરાઇ છે.

(12:06 pm IST)