Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

છાપરવાડી-૨ ડેમનો ૧ દરવાજો ૧ ફૂટ ખોલવામાં આવ્યો

છાપરવાડી-૨ ડેમની આસપાસના ૭ ગામોને નદીના પટમાં અવરજવર નહી કરવા સૂચન

રાજકોટ:રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકાના  છાપરવાડી-૨ ડેમ હાલ નિર્ધારિત સપાટીએ ભરાઈ જતાં ૧ દરવાજો ૧ ફૂટ ખોલવામાં આવેલ છે. છાપરવાડી-૨ ડેમની આસપાસના હેઠવાસ ગામોમાં લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા,પ્રેમગઢ લુણાગરી, રબારીકા સહિતનાં ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.

   
(9:44 pm IST)