Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ સુરેશ પાનસુરીયાના હસ્‍તે માનવ મંદિર ખાતે ધ્‍વજવંદન

 સાવરકુંડલાઃ ભારત રાષ્‍ટ્રની આઝાદીના સુવર્ણ ૭૫ વર્ષ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે આજે ૭૬માં સ્‍વતંત્રતા દિવસૅ નિમિત્તે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા માનવ મંદિર ની મનરોગી બહેનો સાથે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ સુધરાઇ માર્કેટ, સ્‍વામી વિવેકાનંદ માર્કેટ સાવરકુંડલા ના વેપારી મિત્રો દ્વારા આયોજિત સમુહ રાષ્‍ટ્ર ગાન કાર્યક્રમમાં ઉત્‍સાહ અને ઉમંગભેર હાજરી આપી, હૃદયમાં દેશભક્‍તિના સર્વોચ્‍ય ભાવ સાથે ધ્‍વજને વંદન તેમજ મા ભારતીની આઝાદી માટે શહીદ થયેલા અમર બલિદાનનીઓની શહાદતને સ્‍મરણ કરી વેપારી મિત્રોને આઝાદી પર્વની સુરેશ પાનસુરીયાએ શુભકામનાઓ પાઠવી હતી.(તસ્‍વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી- દિપક પાંધીઃ સાવરકુંડલા)

(1:49 pm IST)