Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

લેબર કામના રૃા.૧૩.રર લાખ નહિ મળતા લેબરના કોન્ટ્રાકટરનો આપઘાત

મૃતકના પત્નીની ત્રણ શખ્સો સામે વંથલી પોલીસમાં ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬: લેબર કામના રૃા.૧૩.રર લાખ નહિ મળતા લેબર કોન્ટરાકટરે આપઘાત કરી લીધો હોવાની ફરિયાદ મૃતકના પત્નીએ વંથલી પોલીસમાં નોંધાવી છે.

હાલ જુનાગઢની મંગલધામ બે સોસાયટીમાં રહેતા કંચનબેનના પતિ લેબર કોન્ટ્રાકટર દિલીપભાઇ ઘેલાભાઇ મેવાડાએ ગત તા.૧ના રોજ વંથલી તાલુકાના કોયલી ગામની સીમમાં આત્મહત્યા કરી લીધી હતી.

મૃતક કુતિયાણાના કેતન કન્સ્ટ્રકશનનાં કેતન વેજાભાઇ ઓડેદરા તેમજ પોરબંદરના નિલેશ બોખીરીયા અને જયેશ બોખીરીયાનું લેબર કામ સંભાળતા હતા.

જેમાં કેતનભાઇ રૃા.૯.૬ર લાખ તથા નિલેશ તથા જયેશભાઇ બોખીરીયાએ રૃા.૩.૬૦ લાખના લેબર કામ મૃતક દિલીપભાઇ પાસેથી કરાવી અને તેનો સામાન લઇ જવાની આ ત્રિપુટીએ ના પાડી હતી.

એટલું જ નહિ દિલીપભાઇને ડરાવી ધમકાવીને મોટા લેબરકામમાં ફસાવી દઇ ત્રણેયે રૃા.૧૩.રર લાખ નહિ આપી મરી જવા મજબુર કર્યાની ફરિયાદ કંચનબેન મેવાડાએ નોંધાવતા એસ.સી. એસ.ટી. સેલના  ડીવાયએસપી એચ.આર.રત્નુએ તપાસ હાથ ધરી છે.

(2:51 pm IST)