Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જુનાગઢના ભવનાથમાં સંતશ્રી વેલનાથબાપુની જગ્યામાં રાજકોટના ધર્મેશભાઇ જંજવાડીયા દ્વારા ધ્વજારોહણ

જુનાગઢ : ગુજરાત ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ ધર્મેશભાઇ મોહનભાઇ જંજવાડીયા પરિવાર દ્વારા જુનાગઢ સંતશ્રી વેલનાથ ધામ ખાતે ધ્વજારોહણ કરાયુ હતુ. જેમાં રાજકોટથી જુનાગઢ સુધી બાઇક અને ફોર વ્હીલ કાર સાથે ભવ્ય યાત્રા યોજાઇ હતી. જેમાં કોળી સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને આ યાત્રાનું રાજકોટથી જુનાગઢ સુધીમાં અનેક જગ્યાએ સ્વાગત કરાયુ હતુ અને ધ્વજારોહણ બાદ શ્રી ભારતી આશ્રમ ખાતે સૌએ મહાપ્રસાદ લીધો હતો અને સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યુ હતુ. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા)

(1:40 pm IST)