Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જુનાગઢ ગિરનાર રોપવે દ્વારા સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી

જુનાગઢ ઉષા બ્રેકો ગિરનાર રોપવે ના વાઇસ પ્રેસીડેન્‍ટ દિપક કપલીસના માર્ગદર્શન હેઠળ સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે રોપ-વે સ્‍ટેશનથી ભવનાથ મંદિર સુધી ત્રિરંગા યાત્રા યોજી જનતાને ધ્‍વજનું વિતરણ કર્યુ હતુ. શ્રી દિપક કપલીસએ જણાવ્‍યું હતું કે ગિરનાર રોપ-વેએ દેશભકિતના લાગણી અને ભારત માતા કી જયના નારા સાથે ત્રિરંગા યાત્રા યોજી આપણા રાષ્‍ટ્રના ગૌરવને સમર્પિત અભિયાન હાથ ધરાયુ હતુ અને લોકોમાં રાષ્‍ટ્રપ્રેમ ઉજાગર કરવા અમારો પ્રયાસ રહયો હતો. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા) (જુનાગઢ)

(1:40 pm IST)