Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જુનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે પુ.ઇન્‍દ્રભારતીબાપુના હસ્‍તે ધ્‍વજવંદન

જુનાગઢ : ભવનાથ તળેટી સ્‍થિત શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે સ્‍વાતંત્ર્ય પર્વ નિમિતે પુ. ઇન્‍દ્રભારતીબાપુ દ્વારા મહાનગરભારતીય જનતા પાર્ટી તથા ગિરનાર મંડળના સાધુ સંતો અને સમાજના આગેવાનો સંતો મહંતોની ઉપસ્‍થિતિમાં ધ્‍વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પુ.ઇન્‍દ્રભારતીબાપુએ ત્રિરંગો લહેરાવ્‍યો હતો અને મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી, ડેપ્‍યુટી મેયર ગીરીશભાઇ કોટેચા શહેર ભાજપના પ્રમુખ પુનીતભાઇ શર્મા, જશકુભાઇ ડાંગર, લખનભાઇ ઓડેદરા, મહાદેગીરીબાપુ જગજીવનદાસબાપુ મહાદેવભારતીબાપુ સહિતના સંતો તેમજ ભવનાથ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એમ.સી. ચુડાસમા ઉપસ્‍થિત રહયા હતા. (અહેવાલ : વિનુ જોશી)

(1:35 pm IST)