Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પોરબંદર ખારવા સમાજ દ્વારા તિરંગા બાઇક યાત્રા

પોરબંદરઃ રાજયમા ૭૫ મા આઝાદી અમૃત મહોત્‍સવના ભાગરૂપે હર-ઘર તિરંગા અભિયાનમાં ખારવા સમાજ દ્વારા ‘તિરંગા બાઈક યાત્રા'નુ આયોજન કરવામા આવેલુ હતુ. જેમા અંદાજીત ૪૦૦૦ જેટલા લોકો જોડાયા હતા. અને ભારત માતા કી જય ના ઉદ્‍ઘોષ સાથે આ તિરંગા બાઈક યાત્રા પંચાયત મંદિરે થી નીકળી શહીદચોક, શિતલાચોક, હરીશટોકીઝ, સ્‍વાગત હોટલ, એમ.જી.રોડ, રાણીબાગ, આર્યસમાજ રોડ, સ્‍ટેટ લાયબ્રેરી, દરીયારોડ, બંદર વિસ્‍તાર, લકડીબંદર, સુભાષનગર, ત્‍યાંથી શિતલાચોક, અને ખારવા સમાજ પંચાયત મંદિરે પૂર્ણ થઈ હતી. ત્‍યા બધાજ લોકો એ સાથે રાષ્ટ્રગીત ગાઈ અને વાણોટ પવનભાઈ શિયાળે સમગ્ર લોકો નો આભાર વ્‍યકત કરેલ હતો.આ તિરંગા બાઈક યાત્રામા પોરબંદર ખારવા સમાજના પ્રમુખ/વાણોટ  પવનભાઈ શિયાળ, અધ્‍યક્ષ  રણછોડભાઈ શિયાળ, પંચપટેલ/ટ્રસ્‍ટીઓ, બોટ એસો. ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કમીટી મેમ્‍બરો, પિલાણા એસો.ના પ્રમુખ કાન્‍તીભાઈ લોઢારી તથા કમીટી મેમ્‍બરો, માજીવાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, હરજીવનભાઈ કોટીયા, દિલીપભાઈ લોઢારી, સુનિલભાઈ ગોહેલ. નવીબંદર ખારવા સમાજ ના પ્રમુખ  નરેન્‍દ્રભાઈ કાણકીયા તથા કમીટી મેમ્‍બરો, વણાકબારા ખારવા સમાજ ના પ્રમુખ સંજયભાઈ લોઢારી તથા કમીટી મેમ્‍બરો, ફીશ સપ્‍લાયર્સ એસો. ના પ્રમુખ  હર્ષિતભાઈ શિયાળ તથા કમીટી મેમ્‍બરો, રત્‍નાંકર સ્‍કુલ શિક્ષણ સમીતી ના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ, ભાજપ ગુજરાત પ્રદેશ માછીમાર સેલ ના સંયોજક  મહેન્‍દ્રભાઈ જુંગી, ભાજપ પોરબંદર જીલ્લા માછીમાર સેલ ના જાદવજીભાઈ પોસ્‍તરીયા, સાગર શકિત સેવા સંધ ના પ્રમુખ  પ્રેમજીભાઈ પોસ્‍તરીયા તથા કમીટી મેમ્‍બરો, નગરપાલીકા ના કાઉન્‍સીલર  મનીષભાઈ શિયાળ, કિશોરભાઈ બરીદુન, ફાઈબર ગૃપ ઓફ પોરબંદર ના પ્રમુખ હિતેષભાઈ ખોરાવા તથા કમીટી મેમ્‍બરો, એક્‍સટ્રીમ ફીટનેર કેર ના કેતનભાઈ કોટીયા  & ટીમ, તથા ખારવા સમાજની બધી જ સંસ્‍થાઓ અને મિત્રમંડળો તથા બહોળી સંખ્‍યામા લોકો ઉપસ્‍થિત હતા. આ તિરંગા બાઈક યાત્રા માટે પોરબંદરના એસ.પી.તથા પોલીસ સ્‍ટાફ અને ટ્રાફીક પોલીસનો ખારવા સમાજે આભાર વ્‍યકત કરેલ હતો. તિરંગા યાત્રા નીકળી તે તસ્‍વીર.

(12:04 pm IST)