Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જુનાગઢમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તિરંગા યાત્રા યોજાઇ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬ :.. ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા હર ઘર તિરંગા તથા રન ફોર તિરંગા અંતર્ગત વિશાળ તિરંગા યાત્રા યુનિવર્સિટી પરિસરથી શરૂ કરીને ખડીયા ગામ સુધી યોજવામાં આવી હતી.

જેમાં કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદી, સરકાર નિયુકત એકઝીકયુટીવ કાઉન્‍સીલના સભ્‍યો ચંદ્રેશભાઇ હેરમા, ભાવનાબેન અજમેરા તથા પ્રો. જીવાભાઇ વાળા, રજીસ્‍ટ્રાર ડો. મયંક સોની, યુનિવર્સિટીનો સમગ્ર ટીચિંગ અને નોન ટીચિંગ સ્‍ટાફ, વિદ્યાર્થીઓ, આસપાસના વિસ્‍તારના રહેવાસીઓ સહિત બહોળી સંખ્‍યામાં લોકો આ ગૌરવવંતી રેલીમાં જોડાયા હતાં.

રેલીના ત્રણ કીલો મીટરના સમગ્ર રૂટ તથા આસપાસના વિસ્‍તારમાં દેશભકિતનો જબ્‍બરજસ્‍ત માહોલ સર્જાયો હતો. કુલપતિ સહિતના દ્વારા આસપાસના રહેવાસીઓના પરિવારજનોને રાષ્‍ટ્રધ્‍વજનું રેલી દરમ્‍યાન વિતરણ કરવામાં આવ્‍યું હતું.

(11:47 am IST)