Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

દામનગરમાં જૈન શાશન પ્રભાવક અમીચંદજી મુનિના જીવન કવનને તાદૃશ્‍ય કરતા મિત જુઠાણી, ક્રિનેશ અજમેરા

દામનગર : દશાશ્રી સ્‍થાનિક વાસી જૈન ઉપાશ્રય ખાતે ચાતળમાસ વાસ કરતા બોટાદ સંપ્રદાયના જૈન શાસન પ્રભાવક જયેશચંદ્ર મુનિ મહારાજ, પૂજ્‍ય ડો સુપાશ્રય મુનિ મહારાજની પાવન નિશ્રામાં ભૂતપૂર્વ ગાદીપતિ પૂજ્‍ય અમીચંદજી મહારાજની દ્વિતિય પુણ્‍યતિથિ નિમિતે દામનગર જૈન ઉપાશ્રેય ખાતે ગુરૂદેવ પૂજ્‍ય અમીચંદજી મુનિ મહારાજની દ્વિતિય પુણ્‍યતિથિએ પૂજ્‍ય ગુરુદેવના પૂર્વાગળહના જીવન કવનને તાદ્રશ્‍ય કરાવતા જૈન પરિવારના તરુણો  મિત ગજેન્‍દ્ર જુઠાણી,  ક્રિનેશ સુરેશભાઈ  અજમેરા, હર્ષ શરદભાઈ વોરાએ પૂજ્‍ય અમીચંદ મુનિ મહારાજના જીવન કવન ને તાદ્રશ્‍ય કરાવ્‍યું હતું. પૂજ્‍ય અમીચંદજી મુનિ મહારાજ ના સમગ્ર જીવન કવનને આબેહૂબ મુક અભિનય અને દિવ્‍યવાણી પ્રભાવથી શ્રાવકોને અવગત કર્યા હતા.  અમીચંદજી મહારાજના આદર્શ આચરણો જીવદયા પરોપકાર તપ અનુષ્ઠાનનો સંદેશ આપ્‍યો હતો. સંતોના વ્‍યાખ્‍યાનો માટે ખૂબ મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો.(તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

(11:43 am IST)