Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

જેતપુરના ચાંપરાજપુર રોડ ઉપર પરપ્રાંતીયની લાશ મળીઃ હત્‍યા કે આત્‍મહત્‍યા ? તપાસનો ધમધમાટ

જેતપુર, તા. ૧૬ :. જેતપુરના સારણના પૂલ નજીક અવાવરૂ જગ્‍યામાંથી પરપ્રાંતીય આધેડની લાશ મળી છે. હત્‍યા કે આત્‍મ હત્‍યા પોલીસે તપાસ હાથ ધરી છે.

અત્રેના ચાંપરાજપુર રોડ પર આવેલ સારણના પૂલ નજીક હનુમાન મંદિરના પાછળના ભાગમાં આવેલ બાવળની જાળીઓમાં કોઈનો મૃતદેહ પડયો હોવાનું માલૂમ પડતા આ અંગેની જાણ શહેર પોલીસમાં કરેલ. આ અંગે તપાસ કરવા સીટી પી.આઈ. એમ.એન. રાણાએ સ્‍ટાફ સાથે બનાવના સ્‍થળે પહોંચી જઈ જોતા પરપ્રાંતીય મજુર જેવા લાગતા આધેડની લાશ પડેલ હોય તે આધેડની કોઇએ બોથડ પદાર્થ મારી મોતને ઉતારી દીધાનુ હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવેલ જો કે આ અંગે વધુ તપાસ કરવા મૃતદેહને પી.એમ. માટે સરકારી હોસ્‍પિટલે ખસેડેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ કારખાનામાં રહેતો પરપ્રાંતિય યુવાન ગુમ થયેલ હોય તેની શોધખોળ કરતા નજીકના અવાવરૂ કુવામાંથી મળી આવેલ  તેની તપાસ કરતા અંદરો અંદર સામાન્‍ય બાબતે જગડો થતા તેનું કસળ કાઢી નાખેલ હોવાનું બહાર આવેલ.

આ બનાવની તપાસ કરતા પીઆઇ એમ.એન. રાણાએ તાત્‍કાલીક ચક્રોગતિમાન કરતા આ આઘેડ કારખાનામાં મજુરી કામ કરવા ઝારખંડથી આવેલ અને તેનું નામ કોકીલ મહાતો હોવાનું અને તેને મોઢાના ભાગે પથ્‍થર મારી મોત નિપજાવેલ હોય પોલીસે હત્‍યારાને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

(4:38 pm IST)