Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મોરબી ટ્રિપલ મર્ડર કેસમાં ઝડપાયેલા ૧૨ આરોપી ૧૦ દિવસના પોલીસ રિમાન્‍ડ ઉપર સોંપાયા

  મોરબીઃ ચકચારી એવા પિતા પુત્ર સહીત ત્રણની હત્‍યાના કેસમાં પોલીસની ટીમે કરેલી દોડધામને પગલે આખરે તમામ આરોપીઓને દબોચી લેવામાં સફળતા મળી છે અને ઝડપાયેલા આરોપીને  રિમાન્‍ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા આરોપીઓને ૧૦ દિવસના પોલીસ રિમાન્‍ડ પર સોંપવામાં આવ્‍યા છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલાની સુચનાથી લીલાપર બોરિયાપાટી વાડી વિસ્‍તારમાં થયેલ ત્રિપલ મર્ડરના આરોપીની પોલીસે શોધખોળ ચલાવી હતી જેમાં ડીવાયએસપી બન્નો જોષીની સુચનાથી તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહિલની ટીમ તેમજ એલસીબી અને એસઓજી ટીમો વાડીઓમાં કોમ્‍બિંગ કરતી હોય જેમાં આરોપી ધનજીભાઈ મનસુખભાઈ ડાભી, કિશોરભાઈ શીવાભાઈ ડાભી, પ્રવીણભાઈ શીવાભાઈ ડાભી, સંજયભાઈ નારણભાઈ ડાભી, ભરતભાઈ નારણભાઈ ડાભી, જયંતી નારણભાઈ ડાભી, અશ્વિનભાઈ જીવરાજભાઈ ડાભી, ભરતભાઈ જીવરાજભાઈ ડાભી, કાનજીભાઈ મનસુખભાઈ ડાભી, શીવાભાઈ રામજીભાઈ ડાભી, મનસુખભાઈ રામજીભાઈ ડાભી, જીવરાજભાઈ રામજીભાઈ ડાભી રહે. બધા લીલાપરની બાજુમાં બોરિયાપાટી વાડી વાળા તમામની અટકાયત કરવામાં આવી છે તો હત્‍યામાં વપરાયેલા હથિયારો કબ્‍જે કરવાના હોય તેમજ આરોપીઓની વધુ પૂછપરછ માટે આજે કોર્ટમાં ૧૨ દિવસના રિમાન્‍ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા આરોપીઓને ૧૦ દિવસના પોલીસ રિમાન્‍ડ પર સોંપવામાં આવ્‍યા છે છે

(2:04 pm IST)