Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

રૂપાણી દંપતિએ ચામુંડા માતાના દર્શન કર્યાઃ કુવરજીભાઇ સાથે રહયાઃ જલારામબાપાના મદીરે પણ દર્શન કર્યા

 રાજકોટઃ દેશના ૭૨મા સ્‍વાતંત્ર્ય દિનની રાજયકક્ષાની ઉજવણી સુરેન્‍દ્રનગર જિલ્લામાં થઇ હતી, ત્‍યારે  મુખ્‍યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ ચોટીલામાં સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરે માતાજીના દર્શન કર્યા હતા. ગુજરાત અવિરત પ્રગતિના પંથે આગળ વધતું રહે તેવી મુખ્‍યમંત્રીએ માતાજીને પ્રાર્થના કરી હતી. વિજયભાઇ એ ચામુંડા માતાજીની પુજા કરી આરતી ઉતારી હતી. તેમજ વિવિધ સંસ્‍થાના ધર્મગુરૂઓ દ્વારા મુખ્‍યમંત્રીનું મોમેન્‍ટો અર્પણ કરી સન્‍માન કરાયું હતું. આ ઉપરાંત મુખ્‍યમંત્રીએ ચોટીલામાં સંતશ્રી જલારામ બાપાના મંદિરે પણ દર્શન કર્યા હતા.  આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ  દેવજીભાઈ ફતેપરા, ધારાસભ્‍ય   ધનજીભાઈ પટેલ, અંજલીબેન રૂપાણી સહિતાના મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા.

 

 

(11:59 am IST)