Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

બગોદરા પાસે ઘરેથી ભાગેલા પ્રેમીપંખીડાનું અકસ્‍માતમાં મોત

બાવળાના ભોયલા ગામેથી પાંચ દિવસ પહેલા ભાગી ગયા'તા

 વઢવાણ તા. ૧૬: બાવળા તાલુકાના ભોયલા ગામના પ્રેમી પંખીડાનું બગોદરા પાસે વાહન અકસ્‍માતમા મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભોયલા ગામનો કિશન, જયંતીભાઇ ઉર્ફે ધુધાભાઇ કે. પટેલ છેલ્લા પાંચ દિવસથી ચિપાડા ગામની ૧૭ વર્ષની સગીરાને લઇને પલાયન થઇ ગયો હતો.

જયારે પોલીસમાં સગીરાને લાલચમા લઇને ભગાડી ગયો હોવાની ફરીયાદ નોંધાયેલ હતી. ત્‍યારે બગોદરા પાસેના મોગલ ધામ પાસે ચાલીને બંને પ્રેમી યુગલ પસાર થતા હતા ત્‍યારે કોઇ અજાણ્‍યા વાહનના ચાલકે આ બન્ને પ્રેમી યુગલને હડફેટે લઇ ઘાયલ કર્યા હતા.

ત્‍યારે સગીરાને અને યુવક પ્રેમી બન્નેને સારવાર માટે દવાખાને ૧૦૮ના માધ્‍યમથી ખસેડવામાં આવ્‍યા હતા જયાથી ગંભીર હાલતમાં સગીરાને અમદાવાદ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ હતી જયા સગીરાનું સારવાર દરમિયાન મોત નિપજેલ હતું.

જયારે યુવકનું ઘટના સ્‍થળે મોત થયેલ હોવાનું હાલમાં જાણવા મળી રહયું છે. જયારે પોલીસે અજાણયા વાહનના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાલમાં હાથ ધરેલ છે.

છેલ્લા પાંચ દિવસથી ભાગેલા આ પ્રેમી યુગલના અકસ્‍માતમાં મોત થતા હાલ આ અકસ્‍માત અને મોતની ઘટનાને યુવકના પરિવાર શંકાસ્‍પદ ગણાવી રહયા છે.

 

(11:20 am IST)