Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

રાજકીય યાત્રા નથી, સપરિવાર ખોડલમાતાના દર્શન આવ્યો છુઃ પ્રદીપસિંહ જાડેજાઃ નરેશભાઇએ ખેસ પહેરાવ્યો

  વીરપુરઃરાજય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા એ પોતાના પરિવાર સાથે ખોડલધામ ખાતે  ''માં ખોડલ''ના દર્શન કર્યા હતા.  તેમની સાથે નરેશભાઈ પટેલ પણ મંદિર ખાતે ઉપસ્થીત રહ્યા હતા.  ગૃહમંત્રીને જણાવેલ કે હું કોઈ રાજકીય યાત્રાએ નથી આવ્યોં પરંતુ પરીવાર સાથે માં ખોડલના દર્શનાર્થે આવ્યોં છું એટલે આ મુલાકતનો કોઈ રાજકીય મતલબ ન કાઢતા.  ગૃહમંત્રીએ પરીવાર સાથે માં ખોડલના દર્શન કર્યા ત્યારે નરેશભાઈ દ્વારા મંદિરમાં જ માં ખોડલની ખેસ ગૃહમંત્રીને તેમજ તેમના પરીવારને પહેરાવી હતી મંદિરમાં દર્શન બાદ સહપરિવાર ખોડલ ધામ ખાતે ભોજન લઈ ત્યાંથી નીકળી ગયા હતા. ગૃહમંત્રીની મુલાકત વિશે નરેશભાઈએ જણાવેલ કે તેઓ જુનાગઢ જતા હતા અને તેઓને માં ખોડલના દર્શન કરવા હોવાથી પરિવાર સાથે મંદિરમાં દર્શન કરી પ્રસાદી લઈ જુનાગઢ જવા નીકળી ગયા હતા. (૪૦.૧૬) (તસ્વીરઃ કિશન મોરબીયા)

(10:54 am IST)