Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

સ્ત્રી ભૃણ હત્યા કરનારા સામે કડક કાયદાની જોગવાઇ : વિજયભાઇ

સુરેન્દ્રનગરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : ચોટીલામા મહિલા સંમેલનમાં વિવિધ લાભાર્થીઓને ચેક - સનદ પ્રમાણપત્ર વિતરણ

સ્વાતંત્ર પર્વ નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. તેમણે ધ્વજ ફરકાવ્યા બાદ પોતાની જગ્યા પર બેઠા હતા. જયારે તેમના પતિ ચંદુભાઈ વસાવા જે પણ શુકલતીર્થ ગ્રામ પંચાયતના સભ્ય છે. તેઓ ધ્વજવંદન અવસરે સંબોધન કરી રહ્યા હતા. આ સમયે તેમને હૃદયરોગનો હુમલો આવતાં જમીન ઉપર ઢળી પડ્યા હતા. જયાં તેમનું મોત નિપજયું હતું. આ ઘટનાને પગલે ગામમાં ઉત્સવને બદલે માહોલ શોકમાં ફરી વળ્યો હતો.

સુરેન્દ્રનગરઃ- મુખ્યમંત્રીશ્રી વિજયભાઈએ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે મહિલા સંમેલનમાં જણાવ્યું હતું કે, આ સરકાર ગરીબો અને નોધારાના આધાર તરીકે બધાને સાથે લઈને કામગીરી કરી આગળ વધી રહી છે.

     સુરેન્દ્રનગર ખાતે ૭૨ માં સ્વાતંત્ર પર્વની રાજયકક્ષાની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે સ્વાતંત્ર પર્વની ઉજવણી પૂર્વ દિને ચોટીલા ખાતે આયોજિત મહિલા સંમેલનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું કે આપણે ત્યાં નારી તું નારાયણી નારી નું સ્થાપન, સ્ત્રી દાક્ષિણ્ય, સુરક્ષા, સન્માન કરવામાં આવે છે એટલા માટે આપણે ત્યાં સીતારામ ઉમાશંકર અને રાધાકૃષ્ણ બોલવામાં આવે છે

 રાજય સરકારે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલા સશકિતકરણના અનેકવિધ કાર્યક્રમો ઉપાડીને કાયર્િાન્વત કર્યા છે

 મહિલાઓના સશકિતકરણ માટે રાજય સરકાર દ્વારા લેવાયેલ મહત્વાકાંક્ષી નિર્ણયોની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે પોલીસમાં ૩૩ ટકા મહિલાઓનો સમાવેશ કરાયેલ છે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સત્ત્।ાની ભાગીદારીમાં બહેનોની ૫૦ ટકા જોગવાઈ કરેલ છે. દીકરો દીકરી સમાન છે સ્ત્રીભુણ હત્યા કરનાર સામે કડક કાયદાની જોગવાઈ કરાઈ છે.     રાજય સરકારે દારૂબંધીના કાયદા કડક બનાવેલ છે અને આવનાર પેઢી વ્યસનમુકત રહે તે માટે કાયદાની જોગવાઇઓ કરેલ છે સુરક્ષા માટે બહેનોની અને તેઓને સમયસર મદદ મળી રહે તે માટે એપ લોન્ચ કરવામાં આવી છે. મહિલાઓ સ્વાવલંબી બને તે માટે આવતા દિવસોમાં રાજયમાં ૧૦ લાખ મહિલા સખીમંડળોની રચના કરીને બહેનોને રોજગારી દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું કાર્ય આરંભાયું છે. આ ઉપરાંત બહેનો ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર માં સ્વરોજગાર લક્ષી કોર્સમાં અભ્યાસ દ્વારા આગળ વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

  મહિલા સંમેલનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સર્ટીફીકેટ, કિટસ, સનદ, ચેક વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

     મિશન મંગલમ યોજના - પોષણ યોજનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કુલ ૩૩ લાભાર્થીઓને સર્ટીફીકેટ કીટ, સનદ ચેકનું વિતરણ આવ્યું હતું. જયારે મિશન મંગલમ યોજનામાં લાભાર્થી સાત જેટલા જુથ ગ્રામ મંડળોને ૩૧.૭૦ લાખ ના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ તેમના ઉદ્દબોદ્યનમાં રાજય સરકાર દ્વારા મહિલાઓને પગભર થવા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે. તેનો મહત્ત્।મ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

     આ પ્રસંગે મિશન મંગલમ, માં અમૃતમ કાર્ડ અને સાથણી ની જમીનનાં લાભાર્થીઓ સર્વ શ્રી રાજુ બેન ખેંગાર, ગૌરીબેન સૂર, જાદવભાઈ ચતુરભાઈ એ પોતાના વિધેયાત્મક પ્રતિભાવ રજૂ કર્યા હતા.

     આ પ્રસંગે સાંસદ દેવજીભાઇ ફતેપરા ધારાસભ્ય ધનજીભાઇ પટેલ પ્રભારી સચિવ શ્રી અનુરાધા મલ,ઙ્ગ જિલ્લા કલેકટરશ્રીઙ્ગ કે રાજેશ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી અગ્રણીઓ સર્વશ્રી શંકરભાઈ વેગડ, મેરૂભાઈ ખાચર, રામભાઈ મેવાડા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા તથા તાલુકા ના આગેવાનો સંતો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી

     પ્રારંભમાં મનુષ્ય તુ બડા મહાન હૈ પ્રાથના ગીત રજુ કરવામાં આવ્યું હતું સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી આપતી નૃત્યનાટિકા ચોટીલાના શિક્ષક કલાવૃંદના કલાકારોએ તેમની કૃતિ અને જોરાવરનગરની રાસ મંડળીએ તેમની વિશિષ્ટ કલા રજુ કરતો રાસ રજુ કર્યો હતો.

     આ પ્રસંગે મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોનું ફળ ની ટોપલી થી સ્વાગત કરવામાં આવ્યું હતું એ ફળ ની ટોપલી બાદમાં આંગણવાડી બાળકોને માટે આપવામાં આવી હતી.

     પ્રારંભમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનીષકુમાર બંસલ સ્વાગત પ્રવચન કર્યું.

(10:45 am IST)