Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

મોરબીમાં એક જ પરિવારના ૩ સભ્યોના જનાજા નીકળતા મુસ્લિમ સમાજમાં ગમગીની

વાંકાનેરઃ મોરબી ત્રિપલ મર્ડર કેસમાં અંતે પરિવારજનોએ મૃતકોની લાશ સ્વીકારી હતી આજે એક જ પરિવારના ત્રણ સભ્યોના એક સાથે જનાજા નીકળતા મુસ્લિમ સમાજમાં ગમગીની છવાઇ ગઇ હતી. સાથે સુરક્ષાને ધ્યાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.આજે બપોરે મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની લાંબી સમજાવટ બાદ મૃતદેહો સ્વીકારવામાં આવ્યા હતા પોલીસે સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. જનાજા દરમ્યાન એલસીબી, એસઓજી, એ ડિવીઝન, બી ડિવીઝન તેમજ તાલુકા પોલીસે ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી  દીધો હતો. કુલ પ૦ થી વધુ પોલીસકર્મીઓને જનાજા વખતે તૈનાત કરી દેવામાં આવ્યા હતા.ઉપરોકત તસ્વીરોમાં મૃતકોના ફાઇલ ફોટા અને જનાજામાં મુસ્લિમ સમાજ નજરે પડે છે. (તસ્વીર.અહેવાલઃ મહમદ રાઠોડ. વાંકાનેર)(૨૩.૭)

(12:50 pm IST)