Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ગઢડા (સ્વામીના)માં કોંગ્રેસના અગ્રણી ભરતભાઇ છૈયાને શ્રધ્ધાંજલી અર્પણ

 ગઢડા (સ્વામીના) આહીર સમાજના અગ્રણી અને કોંગ્રેસી પીઢ આગેવાન સ્વ. ભરતભાઇ છૈયાનું અવસાન થતા ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. આ અનુસંધાને એમ.એમ. હાઇસ્કૂલ ખાતે સાંજે ૮-૩૦ થી ૧૧-૩૦ કલાક સુધી ગઢડા કેળવણી સમાજ, ગઢડા આહીર સમાજ અને નાગરિક સમિતિ દ્વારા શોકસભાનું આયોજન કરાયું છે. આ સભામાં મોડી રાત સુધી અસંખ્ય લોકોએ એકીટસે બેસીને દુઃખની લાગણી વ્યકત કરી હતી. આ સભામાં અલગ-અલગ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ નગરજનો અને ગ્રામ્ય વિસ્તારના કાર્યકરો તથા રાજકીય સામાજિક પ્રતિનિધિઓ દ્વારા શાબ્દીક શ્રધ્ધાંજલી પાઠવી સ્વ. છૈયા સાથેના સ્મરણો અને સુઝને યાદ કરી એક લોકનેતા ગુમાવ્યાનો સુર દર્શાવ્યો હતો. આ દરમિયાન શ્રી ગોપીનાથજી દેવ મંદિરના પૂ.એસ.પી. સ્વામી, બી.એ.પી.એસ. સંંસ્થાના કોઠારી પૂ. અધ્યાત્મસ્વરૂપદાસજી તથા ભજનાનંદ આશ્રમના મહંત પૂ. આત્માનંદ સરસ્વતીજી, ધારાસભ્ય પ્રવિણભાઇ મારૂ સહિત દરેક સમાજના અગ્રણીઓ અને રાજકીય સામાજિક આગેવાનો મોટી સંખ્યામંા ઉપસ્થિત રહયા હતા. (તસ્વીર-અહેવાલઃ વૃજલાલ મોદી, ગઢડા(સ્વામીના)

(12:09 pm IST)