Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ગોરામાં શ્રી હરીધામ આશ્રમની આદીવાસી સંસ્કારધામ સ્કૂલમાં શ્રી હરીચરણદાસજી મહારાજના હસ્તે ધ્વજવંદન

વાંકાનેર, તા. ૧૪ :. નર્મદાના ગરૃડેશ્વરના ગોરા ખાતે આવેલ શ્રી હરીધામ આશ્રમમાં ગુરૃદેવ શ્રી હરીચરણદાસજી જનસહકાર ટ્રસ્ટ દ્વારા ધર્મ-ભકિત સાથે આદીવાસી બાળકોનું શિક્ષણ સિંચન કરવામાં આ ટ્રસ્ટ હંમેશા અગ્રેસર રહ્યુ છે.

શ્રી હરીચરણદાસજી મહારાજ સંચાલીત આદિવાસી સંસ્કારધામ પ્રાથમિક શાળા-ગોરા ખાતે પંદરમી ઓગષ્ટની હર્ષોલ્લાસ અને દેશભકિત, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ભવ્યતાથી ઉજવણી થશે.

સવારે ૯.૦૦ વાગ્યે સદગુરૃ દેવ શ્રી હરીચરણદાસજી મહારાજશ્રીના હસ્તે ધ્વજવંદન થશે. રાષ્ટ્રધ્વજને સલામી, રાષ્ટ્રગીત બાદ ગુરૃદેવશ્રી રાષ્ટ્રજોગ પ્રવચન અને આશિર્વચન પાઠવશે. ત્યાર બાદ આદિવાસી વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક અને દેશભકિતના ગીત સાથે નૃત્ય સાથે તેમની કલા રજૂ કરશે.

૧૫મી ઓગષ્ટનો રાષ્ટ્રીય પર્વ ગોરામાં પૂ. હરીચરણદાસજી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાય રહ્યો છે ત્યારે આ પર્વમાં હાજરી આપવા માટે જુદા જુદા આશ્રમના ટ્રસ્ટીઓ ઉપરાંત ગુરૃભકતો અને ભાવિકો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે

(11:52 am IST)