Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

જસદણ-વિંછીયામાં નવા પશુપાલન દવાખાનાના મકાનો બનાવાશેઃ બાવળીયા

જસદણ તા. ૧૪ : જસદણ-વિંછીયા વિસ્તારના લોકોને આરોગ્ય વિષયક સુવિધાઓ મળી રહે તે માટે ૮ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો અને ૪ પેટા આરોગ્ય કેન્દ્રો મંજુર થયા છે જેના કાર્યો નિયત સમયમર્યાદામાં પુર્ણ થશે. એક મહિનાના ટુંકા સમયગાળામાં પપ કરોડના પાણી પુરવઠા કામો આ વિસ્તારમાં મંજુર કરવામાં આવેલ છે. વિજ્ઞાનના શિક્ષણ માટે જસદણ વિંછીયાને સાયન્સની સરકાર કોેજ મળે તે માટે પણ પ્રયાસો ચાલુ છે. વીંછીયા ખાતે રૂ.ર૮ કરોડના ખર્ચે બનનાર વિંછીયા અને ભાડલી રોડનું ખાતમુર્હુત, આસલપુર અને રેવાણીયાના અંદાજે રૂ.પ૦ લાખના ખર્ચે બંધનાર પેટા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોની ખાતમુહુર્ત વિધિ કરતા મંત્રી કુંવરજીભાઇએ જણાવ્યું હતું.

રાજયમાં મુંગા પશુધનને તાત્કાલીક પશુ સારવાર મળે તે માટે ટુંક સમયમાં ટોલ ફ્રી નંબર શરૂ કરાશે. પશુઓને સારવાર માટેપશુ ડોકટરની સુવિધા સાથે એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરાશે. જે અન્વયે જસદણ વિંછીયા આ પશુ સારવાર ઉપલબ્ધ કરાશે. તેમણે વધુંમાં જણાવ્યું હતું. કે જસદણ વિંછીયા ખાતે નવા પશુપાલન દવાખાનાના મકાનો બાંધવામાં આવશે તેમણે જણાવ્યું કે આ વિસ્તારનો લઘુ ઉદ્યોગ અને સ્વરોજગારી ક્ષેત્રે વિકાસ થાય તે માટે જસદણ વિંછીયા વચ્ચે ઔદ્યોગીક વસાહત જી. આઇ. ડી. સી.ઉભી કરવાનું આયોજન છેજેથી સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહે.

તેમણે આ તકે વિંછીયામાં બગીચા પાસે રૂ.૧.પ૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવા, નવું બસ સ્ટેન્ડ બનાવવા અને ગ્રામ પંચાયતનું નવુ ઘર બનાવવા માટેનું આયોજન હોવાનું જણાવ્યું હતું. મંત્રીએ વિંછીયા જસદણ તાલુકાના વિકાસમાં મહતમ યોગદાન આપવા નમુનેદાર અને નંદનવન બનાવવા ખાતરી આપી હતી તેમણે લોકોને વિકાસના કાર્યમાં સહભાગી થવા કર્યો હતો ખોડાભાઇ ખસિયા, જેશાભાઇ સોલંકી, અમૃતભાઇ કોરડિયાએ મંત્રી કુંવરજીભાઇને ટુંકા સમયમાં આ વિસ્તારના વિકાસ માટે હાથ ધરાયેલા વિવિધ વિકાસકામોની વિસ્તૃત જાણકારી આપી હતી.

ભુપતભઇા કારાળીયા, મનુભાઇ પટેલ, રણછોડભાઇ રબારી, કિશોરભાઇ સરપંચો ભગીરથસિંહ ડોડીયા, તાલુકા વિકાસ અધિકારી પરમાર, નાયબકાર્ય પાલક ઇજનેર ઝાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સિંધ તથા અન્ય અગ્રણીઓ અને ગ્રામજણો ઉપસ્થિત રહ્યા હતા.

(9:44 am IST)