Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

વાંકાનેર હાઇવે પાસે ભાટિયા સોસાયટીના નાલા નજીક કાયમ પાણી ભરાયેલું રહેતા લોકો પરેશાન

નાલા પાસે કચરાના ઢગલા પડ્યાં હોવાથી રોગચાળાનો ભય

વાંકાનેર,તા.૧૬ : વાંકાનેરમાં હાઇવે નજીક ભાટિયા સોસાયટીના નાલા પાસે માત્ર થોડો વરસાદ થાય ત્યાં કેટલા બધા દિવસ પાણી અહીંયા ભરેલું રહે છે, કાયમ માટે આ નાલામાં ગંધારૂ પાણી ભર્યું રહે છે, આ જગ્યાએથી વાંકાનેર ભાટિયા સોસાયટી ના પ્રજાજનોને અહીંયાથી જ નીકળવાનું હોય ખુબ જ મુશ્કેલી પડે છે, તેમજ આ નાલા પાસે થી વાંકાનેર શહેર ના પ્રજાજનોની પણ ખુબ જ અવર જવર રહે છે, આ ઉપરાંત નાલા પાસે કચરા નો મોટો જથ્થો અહીંયા છે, અહીંયા ખુબ જ કચરો હોવાથી રોગચાળાનો પણ ભય રહે,  આ નાલા પાસે ઘણા સમયથી ખરાબ પાણી ભરાયેલુ રહે છે, હમણાં થોડા દિવસ પહેલા જ પ્રજાજનો દ્વારા કલેકટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવેલ હતું, આ નાલામાં પાણી ભરાયેલું રહે છે એનો કાયમી નિકાલ કરવા આ વિસ્તારના પ્રજાજનોની માંગણી ઉઠેલ છે.

(11:36 am IST)