Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જૂનાગઢમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : શહેરમાં 12 અને ગ્રામ્યમાં 28 કેસ મળીને નવા 40 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 455 થઇ

રાધાનગર,શાંતિનિકેતન સોસાયટી,આદર્શનગર,જોશીપુરા,નાગરવાડા ઝાંઝરડા રોડ સહિતના વિસ્તારમાં કેસ : કેશોદમાં 10 કેસ,માણાવદરમાં 11 કેસ ,ભેસાણમાં 2 ,માળીયા અને વિસાવદરમાં 1-1 કેસ

જુનાગઢ: જૂનાગઢમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે શહેર અને જિલ્લા માં ૪૦ કેસ કોરોના પોઝીટીવ નોંધતા તંત્ર  હરકતમાંછે શહેરમાં 12 અને ગ્રામ્યમાં 28 નવા કેસ નોંધાયા છે

  જુનાગઢ શહેરમાં ૧૨ કેસ આવ્યા પોઝીટીવ જેમાં.રાધાનગર વિસ્તારમાં ૫૫ વર્ષીય પુરૂષ, .શાંતિનિકેતન સોસાયટી માં ૬૫ વર્ષીય મહિલા, આદર્શ નગર ૩૮ વર્ષીય પુરૂષ,.જોષીપુરા ૪૪ વર્ષીય પુરુષ,.બીલખા રોડ ૨૭ વર્ષીય પુરૂષ,.બિલખા રોડ ૪૦ વર્ષીય પુરૂષ ,.નાગરવાડા ૨૩ વર્ષીય મહિલા,.ઝાંઝરડા રોડ ૫૪ વર્ષીય પુરૂષ,.ઝાંઝરડા રોડ ૭૦ વર્ષીય પુરૂષ,.સાંઇબાબા સોસાયટી ૫૭ વર્ષીય પુરૂષ, જોષીપુરા ૩૫ વર્ષીય પુરૂષ અને રેલ્વે સ્ટેશન રોડ ૬૨ વર્ષીય પુરૂષ ને કોરોના રિપોર્ટ  પોઝીટીવ આવ્યો છે  હાલ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ગ્રામ્યમાં 28 કેસ નવા નોંધાયા છે જેમાં કેશોદમાં 10 કેસ,માણાવદરમાં 11 કેસ ,ભેસાણમાં 2 ,માળીયા અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયા છે

(9:31 pm IST)