Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જસદણ પંથકમાં આજે પણ કોરોનાના વધુ પાંચ કેસ પોઝીટીવ : તંત્ર દ્વારા જો યુધ્ધના ધોરણે પગલા લેવામાં નહી આવે તો જસદણ પંથકમાં કોરોના વિસ્ફોટ થશે

 આટકોટ :::  જસદણનાં રાજા વડલા ગામનાં હરગોવિંદભાઇ હરીયાણી ઉ.વર્ષ 43 નો કોરોના રીપોર્ટ સવારે પોઝીટીવ આવ્યા બાદ જસદણનાં  લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા મનોજભાઈ મેઘજીભાઈ વઘાસીયા  ઉ.વર્ષ 52 કૈલાશનગરમાં  રહેતા ભાવેશભાઈ ગોપાલભાઈ છાયાણી ઉ.વર્ષ 42 તેમજ માધવીપુર ગામે બસ સ્ટેન્ડ ની બાજુમાં રહેતા જયસુખભાઈ ધીરૂભાઈ કાકડીયા ઉ.વર્ષ 42 અને સાણથલીના વિપુલભાઈ વિઠ્ઠલભાઈ વોરા ઉ.વર્ષ 32 નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

       જસદણ પંથકમાં રોજે રોજ કોરોના કેસ આવવા લાગતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે તંત્ર દ્વારા જો યુધ્ધના ધોરણે પગલા લેવામાં નહી આવે તો જસદણ પંથકમાં કોરોના વિસ્ફોટ થશે.

(6:05 pm IST)