Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જામનગરમાં ચોક્સી ફળીમાં રહેતા ભરતભાઈ ગુસાણીએ બેકારીથી કંટાળી ગળેફાસો ખાઈ આપઘાત કર્યો : અરેરાટી

દરજીકામ કરતા આધેડે ઘર પાસે બનતા મકાનમાં દોરી વડે ગળેફાંસો ખાદ્યો

જામનગર શહેરના જલાની જાર વિસ્તારમાં આવેલ ચોકસી ફળીમાં બે ભાઈઓ સાથે રહેતા ભરતભાઈ પરસોત્તમભાઈ ગુસાણી ( ઉ, વ, 55 ) નામના  સોની પુરુષ કે જે આ વિસ્તારમાં જ દરજી કામ કરતા હતા. લોકડાઉન પૂર્વજ કામ-ધંધો બંધ થઈ જતા તે કેટલાય સમયથી બેકારીથી કંટાળી ગયા હતા. જેથી ભરતભાઈએ પોતાના નિવાસ સ્થાન પાસે જ બની રહેલા મકાનમાં દોરી વળે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.જેથી પોલીસે તેનો મૃતદેહ પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(1:36 pm IST)