Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જુનાગઢમાં ઝૂંપડપટ્ટી રેગ્યુલરાઇઝડ કરવા ચાલતા સત્યાગ્રહને ટેકો

જુનાગઢમાં મહાનગર પાલિકા વહીવટી તંત્ર સામે ઝૂંપડપટ્ટી રેગ્યુલાઇઝ માટે ૧૪ દિ'થી ચાલતા સત્યાગ્રહ આંદોલન કરતા પૂર્વ મેયર લાખાભાઇ પરમારને આ સત્યાગ્રહમાં જુનાગઢના ઇસ્માઇલ ભાઇ દલ સિવિલ એન્જિનિયર મુસ્લીમ અગ્રણીઓ આમદભાઇ સમા ઇબ્રાહિમભાઇ દલ, અબીરભાઇ મોધલ, હબીબભાઇ દલ, આમદભાઇ સોરઠીયા પ્રદેશ સચિવ રાજીવ ગાંધી કોંગ્રેસ ગુજરાત પ્રદેશ તેમજ સમાજના વિવિધ આગેવાનોએ મુલાકાત લઇ પોતાનો ટેકો આપેલ છે. સી.પી.એમ. ના આગેવાન બટુકભાઇ મકવાણા, જીશાનભાઇ હાલેપૌત્ર અશ્વિનભાઇ ઝાલા, ધીરૂભાઇ જોષી, બાલુભાઇ ઉભડીયાએ મુલાકાત લીધી હતી.  અને માંગણી સાચી અને વ્યાજબી હોય મહાનગર પાલિકા જુનાગઢમાં ઝુંપડપટૃી રેગ્યુલાઇઝના રૂપિયા પણ વર્ષોથી ભરાય ગયેલ છે તો તાત્કાલિક અસરથી મંજુર કરવામાં આવે તેવી માગણી કરી છે.

(1:06 pm IST)