Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

પૂ. અનિલાબાઈ મ. સ. કાળધર્મ પામ્યાઃ પાલખીયાત્રા નીકળી

ગોંડલ ગચ્છ શિરોમણી પૂજયશ્રી જશરાજજી મ.સા.ના આજ્ઞાનુંવર્તી ઉત્ત્।મ પરિવારના પૂ. સૂર્ય- વિજય મહાસતીજીના સુશિષ્યા ૫૩ વર્ષીય દીક્ષા પર્યાયધારી

રાજકોટ,તા.૧૬: ગોંડલ સંપ્રદાયના ગોંડલ ગચ્છ શિરોમણી પૂજય શ્રી જશરાજજી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી ઉત્ત્।મ પરિવારના પૂજય સૂર્ય-વિજય મહાસતીજીના સુશિષ્યા યોગ સાધિકા પૂજય શ્રી અનિલાબાઈ મહાસતીજી આજે તા. ૧૬ ના રોજ સવારે ૪:૩૦ કલાકે ૭૩ વર્ષ ની વયે ૫૩ વર્ષ નો દીક્ષા પર્યાય સહ ઘાટકોપરમાં કાળધર્મ પામ્યા છે.

પાલખી યાત્રા આજે તા. ૧૬ ગુરૂવારના સવારે ૮:૦૫ કલાકે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ હિંગવાલા ઉપાશ્રય ઘાટકોપર ઈસ્ટ ખાતેથી નીકળેલ.

તેમ શ્રીઙ્ગ વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ઘાટકોપર ઈસ્ટ - મુંબઈના પ્રમુખ- ટ્રસ્ટીગણ એવં કારોબારી સમિતિ સભ્યોએ યાદીમાં જણાવેલ.

(11:28 am IST)