Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વૃક્ષારોપણ

જુનાગઢ : કૃષિ યુનિવર્સિટી ખાતે, યુનિવર્સિટીના કુલપતિ ડો. એ.આર. પાઠકના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ હતો. આ કાર્યક્રમમાં અંદાજે ૧૦૦ જેટલા રાવણાના વૃક્ષોની રોપણી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. એ.આર. પાઠક, સંશોધન નિયામક ડો. વી.પી. ચોવટીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. પી.વી. પટેલ, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિ નિયામક ડો. વી.આર.માલમ, આચાર્ય કૃષિ મહાવિદ્યાલય ડો. બી.કે સગારકા તેમજ કોલેજોના આચાર્યશ્રીઓ, આંકડાશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો. એસ.એમ. ઉપાધ્યાય તેમજ અન્ય વિભાગીય વડાશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, કૃષિ વિજ્ઞાન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહયો હતો.

(2:15 pm IST)