Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જામનગરમાં શ્રી પ.નવતનપુરીધામ ખીજડા મંદિર, કબીર આશ્રમ, અણદાબાવા આશ્રમ સહિતના ધર્મસ્થાનોમાં ગુરૂપૂજન

છોટી કાશી ગણાતા જામનગરમાં ગુરુપૂર્ણિમા નિમિતે શ્રી ૫ નવતનપૂરીધામ ખીજડામંદિર, કબીર આશ્રમ , આણદાબાવા આશ્રમ સહિતના ધર્મસ્થાનોમાં આજે ગુરૂપૂજન ના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકોએ ગુરૂપૂજન કરી ધન્યતા અનુભવી હતીગુરુપૂર્ણિમાના પાવન અવસરે છોટી કાશી ગણાતા જામનગરમાં પ્રણામી ધર્મની આધ્યપીઠ શ્રી ૫ નવતનપૂરીધામ ખીજડામંદિરમાં આચાર્યશ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજની નિશ્રામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સુંદરસાથ ભાવિકોએ ગુરૂપૂજન કર્યું હતું અને આશીર્વાદ મેળવ્યા હતા. જયારે કબીર પંથની ગુરૂગાદીનું ટ્રસ્ટીઓ અને ભાવિકોએ ગુરૂપૂજન કર્યું હતું. તેવીજ રીતે સહેરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલ આણદાબાવા આશ્રમમાં સવારથીજ ભાવિકોએ કતારો લગાવી હતી અને આણદાબાવા આશ્રમના મહંતશ્રી દેવીપ્રસાદજી ના આશીર્વાદ મેળવ્યા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી-તસવીરઃ કિંજલ કારસરીયા,જામનગર)

(1:28 pm IST)