Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સાવરકુંડલામાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-સંગઠન પર્વ

સાવરકુંડલા તા. ૧૬ :.. પૂર્વ કૃષિ મંત્રીશ્રી અને અમરેલી જિલ્લા સંગઠન પર્વ ઇન્ચાર્જ વી. વી. વઘાસીયાના કાર્યાલય ખાતે સાવરકુંડલા વોર્ડ નં. ૧ શકિત કેન્દ્ર પ્રમુખ અનિરૂધ્ધસિંહ વાજા તેમજ સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ અને શહેર વોર્ડ નં. ૪ ના સંગઠન પર્વ ઇન્ચાર્જ રાજુભાઇ માળવીએ વિશ્વની નં. ૧ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ચાલી રહેલ સદસ્યતા અભિયાનમાં શહેરમાં સૌ પ્રથમ વખત ૧પ૦ - ૧પ૦ સદસ્ય નોંધી ને તેમનું લીસ્ટ તૈયાર કરી જિલ્લા સંગઠન પર્વ ઇન્ચાર્જ વી. વી. વઘાસીયાને સુપ્રત સોંપેલ. આ તકે જિલ્લા ભાજપા મહામંત્રીશ્રી કમલેશભાઇ કાનાણી શહેર ભાજપ મહામંત્રીશ્રી એ. બી. યાદવ ઉપસ્થિત રહ્યા હતાં.

(1:26 pm IST)