Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

દિલીપભાઇ સંઘાણીના સાળા અને ચલાલાના યુવા અગ્રણી પ્રદીપભાઇ રીબડીયાનું અવસાન

બહેનોએ કાંધ આપી : પુત્રીએ અગ્નિદાહ આપ્યો

ચલાલા-અમરેલી, તા. ૧૬ : દિલીપભાઇ સંઘાણી-અમરેલી, રમેશભાઇ ગજેરા-અમદાવાદ અને ભાવેશભાઇ વોરા-જુનાગઢના સાળા અને ચલાલાના સેવાભાવી યુવાન તરીકે ચાહના ધરાવતા મહાદેવપરાના રહીશ પ્રદીપભાઇ મનુભાઇ રીબડીયા ઉ.વ. ૪૩નું અમદાવાદ ખાતે લાંબી બિમારી બાદ અવસાન થતાં ચલાલા ખાતે આજે વિશાળ સ્મશાન યાત્રા નિકળી હતી જેમાં દિલીપ સંઘાણી, ધારાસભ્ય જે.વી. કાકડીયા, બાલુભાઇ તંતી, મનસુખભાઇ સુખડીયા, અશ્વિનભાઇ સાવલીયા, કૌશિકભાઇ વેકરીયા, જયંતિભાઇ પાનસુરીયા, હિંમતભાઇ દોંગા, જીતેન્દ્રભાઇ તળાવીયા, પ્રકાશભાઇ કારીયા, જિલ્લા બેંકના જનરલ મેનેજર બી.એસ. કોઠીયા સહિત સહકારી, સામાજીક અને વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા. સ્મશાન ભૂમિ પર શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી.

બેસણું તા. ૧૮/૭/ર૦૧૯, ગુરૂવારના રોજ સવારના ૯-૦૦થી સાંજના પઃ૦૦ વાગ્યા સુધી પટેલ વાડી, ચલાલા ખાતે રાખવામાં આવેલ છે. સ્વ. પ્રદીપભાઇના પાર્થિવદેહનો તેમની પુત્રીએ અગ્નિદાહ આપ્યો હતો. જયારે બહેનોએ કાંધ આપી હતી.

(11:51 am IST)