Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ઉનાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ત્રીરોગ નિષ્ણાંત તથા એમબીબીએસ ડોકટરોની નિમણુંક

ઉના તા.૧૬ : સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડો.વિશાલ શર્માનું ઉના ગાયનેકોલોજીસ્ટ તરીકે નિમણુંક થઇ છે.

ધારાસભ્ય પુજાભાઇ વંશનો ઉપવાસ આંદોલન બાદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબની નિમણુંક થઇ ઉના તથા ગીરગઢડા તાલુકો ગરીબ અને પછાત વર્ગનો હોવાથી છેલ્લા ઘણા સમયથી ઉના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની નિમણુંક માટે ઉપવાસ આંદોલન થયેલ હતા. ગીર સોમનાથ સીડીએચઓ ડો.આચાર્ય આદેશ અનુસાર ઉનામાં ડો.વિશાલ શર્મા ગાયનેક તરીકે સ્ત્રી રોગ નિષ્ણાંત તથા ડો.સોનિયા એન. જાદવ (એમબીબીએસ) બંને તબીબોની નિમણુંક થયેલ છે. ડો.અભાણી તથા તેમનો સ્ટાફ ગીરગઢડા તાલુકામાં સેવા આપે છે. ઓપીડી તથા ડીલેવરીના કેશમાં વધારો જોવા મળેલ છે.

(11:35 am IST)