Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જામજોધપુરના ધુનડામાં પૂ. જેન્તિરામબાપાના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી

જુનાગઢઃ જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમ ખાતે આજે સવારથી ગુરૂપૂર્ણિમાં પર્વની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પૂ.જેન્તિરામબાપા અને પુ. મુકતામાંના સાનિધ્યમાં પુ. હરીરામબાપાની ચરણ પાદુકાનું પુજન કરવામાં આવેલ અને ભાવવંદના બાદ પુ.જેન્તિરામબાપાએ સત્સંગ સભામાં ગુરૂપુર્ણિમાંનો મહિમા સમજાવી સૌ ભકતનેે આશિર્વાદ આપ્યા હતા. અનેભકતો દ્વારા પુ.બાપાનું સંતકુટિરથી સત્સંગ સભા સુધી વાજતે ગાજતે સામૈયુ કરી ભાવ વ્યકત કર્યો હતો અને દેશ-વિદેશના હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:36 am IST)