Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

જૂનાગઢમાં કાલથી નિર્વાણ લાડુ મહોત્સવના વિરોધમાં સંતો દ્વારા ઉપવાસ આંદોલન

જૂનાગઢ, તા. ૧૬ :. જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર ગુરૃ દતાત્રેયના શિખર ઉપર દિગંબર જૈન નિર્મળસાગરજી મહારાજ દ્વારા કાલે તા. ૧૭ થી ૧૯ સુધી નિર્વાણ લાડુ મહોત્સવ યોજાયો છે.

જેનો દત શિખરના મહંત તનસુખગીરી બાપુ, ગણપતગીરી બાપુ અને મુકતાનંદગીરી બાપુએ વિરોધ કરતા જણાવ્યુ છે કે આ વખતે કોઈપણ ભોગે નિર્વાણ લાડુને ગુરૃ ગોરખનાથ શિખરથી આગળ લઈ જવા દેવામાં નહી આવે.

આ મહોત્સવનો વિરોધ કરવા માટે કાલે તા. ૧૭ને મંગળવારથી ઉપવાસ આંદોલન શરૃ કરવામાં આવશે. જેમાં ગીરનાર ક્ષેત્રના સંતો, રાજકીય આગેવાનો અને ધર્મપ્રેમી જનતા જોડાશે. સંતોએ હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડનાર આવા કાર્યક્રમો અટકાવવા તંત્ર પાસે માંગણી કરી છે.(૨-

(4:12 pm IST)