Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

રાજુલાના બાબરીયા ધાર ગામ નજીક નવલખા નદીમાં ૪૫ મુસાફરો સાથેની બસ ફસાઈઃ સરપંચ અને ગામ લોકોએ બચાવી લીધા

 અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે બાબરીયા ધાર ગામ પાસે આવેલ નવલખા નદીમાં આવેલ ભારે પૂરના કારણે ૪૫ મુસાફરો સાથેની એક બસ પાણીના પ્રવાહમાં ફસાઈ જતા ગામના સરપંચ અનિલભાઈ લાડુમાર અને ટીમે તેઓને બચાવી લીધા હતા.

રાજુલાના ધાતરવડી-૨ ડેમના ૮ દરવાજા ખોલવામાં આવ્યા છે અને ખાખબાઈ, લોટપુર, ઉચ્ચૈયા સહિતના ગામોને ચેતવણી આપવામાં આવી છે. રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર અને ટીમ પૂરગ્રસ્ત વિસ્તારોની વહારે આવી છે અને ફુડ પેકેટની વ્યવસ્થા સાથે અસરગ્રસ્તોને ભોજન આપવામાં આવી રહ્યુ છે.(૨-૨૩)

(4:13 pm IST)